Image:IANS

Suryakumar Yadav Comeback : IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે કંઈ સારું થઈ રહ્યું નથી. નવા કેપ્ટન હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમને પ્રથમ ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ હવે હાર્દિક પંડ્યાનું ટેન્શન ઓછું કરે તેવાં કેટલાક રાહતના સમાચાર સામે આવ્યા છે. T20 ક્રિકેટનો નંબર-1 બેટર સૂર્યકુમાર યાદવ હવે ફિટ થઇ ગયો છે. એટલું જ નહીં હવે તેના MIમાં પરત ફરવાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. 

સૂર્યકુમાર યાદવને લઈને આવ્યું મોટું અપડેટ

મળેલા અહેવાલો મુજબ સૂર્યકુમાર યાદવને NCA તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળી ગયું છે. સૂર્યા આવતીકાલે એટલે કે 4 એપ્રિલના રોજ મુંબઈ ઇન્ડિયનની ટીમ સાથે જોડાઈ જશે. સૂર્યા અત્યાર સુધી બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં હતો. પરંતુ હવે તે ક્રિકેટના મેદાન પર વાપસી કરવા તૈયાર છે. સૂર્યા મુંબઈ ઇન્ડિયન્સની જર્સીમાં જોવા મળી શકે છે.

આ તારીખે સૂર્યા મેદાનમાં ઉતરી શકે

મુંબઈ ઇન્ડિયન્સની ટીમ તેની ચોથી મેચ 7 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે રમશે. સૂર્યકુમાર યાદવ તેના હોમ ગ્રાઉન્ડ પર વાપસી કરી શકે છે. જો કે આ અંગે ફ્રેન્ચાઈઝી તરફથી હજુ સુધી કંઈ કહેવામાં આવ્યું નથી. સૂર્યા આવતીકાલે ટીમ સાથે જોડાયા બાદ નેટ્સમાં પ્રેક્ટિસ કરશે અને જો ફ્રેન્ચાઇઝી તેને સંપૂર્ણ રીતે ફિટ માને માનશે તો તે રવિવારે મેદાનમાં ઉતરી શકશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *