Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાને હવે સાત દિવસ જેટલો સમય બાકી છે ત્યારે રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહી છે તેવામાં કોંગ્રેસમાંથી ભાજપમાં જતા નેતાની સંખ્યમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે કોંગ્રેસના વધુ એક નેતા કેસરિયો ખેસ ધારણ કરશે. 

માનવેન્દ્ર સિંહ 2018માં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા

કોંગ્રેસ નેતા માનવેન્દ્ર સિંહ જાસોલ (Manvendra Singh Jasol) આજે બાડમેરમાં યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં વિધિવત રીતે પાર્ટીમાં જોડાશે. ભાજપના આ પગલાથી રાજસ્થાનમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગશે પડશે. આ સાથે બાડમેર લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા રવીન્દ્ર સિંહ ભાટી (Ravindra Singh Bhati)નું ટેન્શન પણ વધશે. કારણ કે જાસોલની વાપસીથી ભાજપને રાજપૂત સમાજનું સમર્થન મળશે, જેના આધારે ભાટી પોતાની જીત નિશ્ચિત માની રહ્યા હતા. ઉલ્લેખનયી છે કે માનવેન્દ્ર સિંહ જાસોલ વર્ષ 2018માં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. જો કે તેઓ હવે 2024ની લોકસભા ચૂંટણી પહેલા ફરીથી ભાજપમાં જોડાઈ રહ્યા છે.

‘કમલ કા ફૂલ હમારી ભૂલ’નું સૂત્ર આપ્યું હતું

જસવંત સિંહ જાસોલના પુત્ર માનવેન્દ્ર સિંહ જાસોલ બાડમેરમાં  એક વખત ધારાસભ્ય અને બે વખત સાંસદ તરીકે ત્રણ વખત ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ ત્રણમાંથી બે ચૂંટણી ભાજપની ટિકિટ પર લડ્યા છે જ્યારે બીજી એક ચૂંટણી તેઓ કોંગ્રેસની ટિકિટ પર લડ્યા છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે મતભેદો થયા પછી, માનવેન્દ્ર સિંહ જાસોલ 2018માં ભાજપ છોડીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. તે સમયે તેણે ‘કમલ કા ફૂલ હમારી ભૂલ’નું સૂત્ર પણ આપ્યું હતું. આ પછી તેમણે ઝાલાવાડમાં વસુંધરા રાજે સામે ચૂંટણી પણ લડી હતી. પરંતુ હવે, લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાના મતદાનના માત્ર એક અઠવાડિયા પહેલા, તેઓ ભાજપમાં પરત ફરી રહ્યા છે.

રાજપૂત મતો સાથે ભાજપની સંભાવનાઓને મજબૂત કરી શકે

આ વખતે બાડમેર લોકસભા બેઠક પર જોરદાર ટક્કર છે. ભાજપના પૂર્વ નેતા આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેમને જનતાનો પૂરો સહયોગ મળી રહ્યો છે અને તેમની સભામાં ભેગી થતી ભીડ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. જ્યારે પણ અને જ્યાં પણ તેઓ સભા કરે છે, રસ્તાઓ જામ થઈ જાય છે. આ દ્રશ્ય જોઈને વિરોધ પક્ષોના નેતાઓની ઉંઘ ઉડી ગઈ છે. આવી સ્થિતિમાં બાડમેરના રાજકીય સમીકરણને બદલવા અને આ લોકસભા બેઠક પર ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે વડાપ્રધાન મોદી આજે બાડમેરમાં એક મોટી જનસભાને સંબોધિત કરવાના છે. માનવેન્દ્રની વાપસી રાજપૂત મતો સાથે ભાજપની સંભાવનાઓને મજબૂત કરી શકે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *