આઝાદીના સાત દાયકા બાદ પણ પાકો રસ્તો બન્યો નથી
રસ્તા પર પથ્થર પાથરી દેવાતા વાહનો ચાલી શકતા નથી
જસુણી શાળાથી જસુણીની મુવાડી સુધીનો બિસમાર રસ્તો જણાય છે
સંજેલી તાલુકાના જસુણી મુખ્ય પ્રાથમિક શાળાથી જસુણીની મુવાડી સુધી રસ્તાની અધુરી કામગીરીથી વાહનચાલકો અને રાહદારીઓને રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. આઝાદીના 7 દાયકા બાદ પણ રસ્તા માટે સ્થાનિક લોકોને ફાંફાં પડી રહ્યાં છે. વહેલી તકે રસ્તો બનાવવા માગ ઉઠી છે.
સંજેલી તાલુકાના મુખ્ય પ્રાથમિક શાળાથી જસુણીની મુવાડી તરફ્ જવાના મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી રસ્તા બનાવવાની કામગીરી માટે વિકાસના કામમાં રોડા રાખ્યા હોય તેમ કાચા રસ્તા પર પથ્થર પાથરી દેવાયા છે. આ પથ્થરને કારણે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને બાઈક ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર પથ્થરના કારણે વાહનો ચાલી શકતા નથી. ટાયરોમાં અને વાહનોને પણ નુકસાન વેઠવો પડતો હોય છે. રાહદારોને પથ્થર પરથી પસાર થવાતું નથી. આ જ પરિસ્થિતિને કારણે લોકોને મુશ્કેલી પડે છે. છેલ્લા ઘણા સમયથી આ રસ્તો બનાવવા કોન્ટ્રાક્ટર દ્વારા પથ્થર પાથરી દેવાયા છે. પરંતુ આગળની કામગીરી કરાતી નથી. આઝાદીના 7 દાયકા બાદ પણ આ વિસ્તારને રસ્તાની સુવિધા મળી નથી. રસ્તો બનાવવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા હાથ ધરાઇ છે. પરંતુ રસ્તાની અધૂરી કામગીરીને કારણે લોકોને હાલાકી બેઠવી પડે છે.