Lok Sabha Elections 2024:  રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપમાંથી લડી રહેલા પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદથી રાજ્યમાં ભારે હડકંપ મચ્યો છે. પરશોત્તમ રૂપાલા પોતાની ભૂલ સ્વીકારીને માફી માગી ચૂક્યા છે. પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની માગને લઈને મક્કમ છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી પરત ખેંચે અને ભાજપ ઉમેદવાર બદલે. ત્યારે ક્ષત્રિય સમાજના મહિલા પ્રજ્ઞાબા ઝાલાએ જૌહરની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ તેમને નજરકેદ કર્યા છે. 

ક્ષત્રિય સમાજની વધુ એક ચીમકી

અમદાવાદ સ્થિત રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય આગેવાન અને રાષ્ટ્રીવાદી જનલોક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શેરસિંહ રાણાએ  એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભાજપે રૂપાલાની ટિકિટ કાપવાની માગણી પૂરી કરવી જોઈએ. આ માત્ર આંદોલન નથી પણ જરૂર પડશે તો રાજકોટમાં રૂપાલા સામે ઉમેદવાર મેદાનમાં ઉતારીશું. આજે ક્ષત્રિય સમાજને શૂન્ય પર લાવવા પ્રયાસ થઈ રહ્યા છે, સમાજને આજે જવાબ આપવાની જરૂર છે.’

પ્રજ્ઞાબા ઝાલા ત્રણ દિવસથી નજરકેદ

થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં પ્રજ્ઞાબા ઝાલાનો જૌહર અંગેનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે,  ‘રૂપાલા અંગે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે કાલે જૌહર કરીશું. અમે જૌહરની તૈયારીઓ શરૂ કરી દીધી છે.’ તેમણે ગાંધીનગરમાં કમલમ ખાતે જૌહર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે, તેઓ ત્રણ દિવસથી નજરકેદ છે. 

પાટીદાર સમાજ રૂપાલાનાં સમર્થનમાં

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરમાં પાટીદાર સમાજ પુરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં પરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં ટિકિટ રદ ન કરવા અને અમે રૂપાલાનાં સમર્થનમાં છીએના લખાણ સાથેના બેનર લાગ્યા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *