અમદાવાદ,શુક્રવાર

પૂર્વ વિસ્તારમાં પોલીસની નિષ્ક્રયતાના કારણે લૂખ્ખા તત્વો બેફામ બનીને ધાક જમાવવા માટે ક્યારેક નિર્દોષ લોકો ઉપર હુમલા કરી રહ્યા છે આજે વહેલી પરોઢે તોફાની લોકો ખુલ્લી તલવારો, પાઇપ અને લાકડીઓ સાથે મમ્કો બ્રિજ પાસે ધસી આવ્યા હતા અને બ્રિજ નીચે પાર્ક કરેલી લકઝરી તથા કાર અને ૧૫ રિક્ષા, બાઇક સહિત કુલ૨૪ વાહનોની તોડફોડ કરી હતી અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પેદા કર્યો હતો. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બેફામ ગાળો બોલી સવારે પોણા કલાક સુધી પથ્થરમારો કરી ઘાતક હથિયારથી કાર, લકઝરી, ૧૫ રિક્ષા સહિત વાહનોની તોડફોડ કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ 

 મૂળ રાજસ્થાનના વતની અને નરોડા મેમ્કા પાસે શ્રી કામ્બેશ્વર ટ્રાવેલ્સમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા ઉદયરામ પુરબીયા (ઉ.વ.૩૬)એ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે બહાર ગામથી આવીને લકઝરી બસ નરોડા મેમ્કો બ્રિજ નીચે પાર્ક કરીને તેઓ તથા કન્ડકર બસમાં સૂતા હતા. દરમિયાન આજે સવારે પાંચ વાગે તેમની લકઝરી ઉપર પથ્થર મારો થતાં તેઓ જાગી ગયા હતા. તેમને જોયું તો લુખ્ખા તત્વો હાથમાં તલવાર, પાઇપ તથા લાકડીઓ સાથે ધસી આવ્યા હતા. બેફામ ગાળો બોલીને સાલે કોઇ બહાર મત નીકલનના કહીને વાહનો ઉપર પથ્થરમારો કરીને તલવાર તથા પાઇપ અને લાકડીથી બ્રિજ નીચે પાર્ક કરેલા વાહનોની તોડફોડ કરી હતી.

આ બનાવના પગલે ડરના માર્યા ડ્રાઇવર અને કન્ડકટર જીવ બવાવીને બસમાં છુપાઇ ગયા હતા આ તોફાની ટોળાએ સવારે ૫થી ૫.૪૫ પોેણા કલાકમાં આતંક મચાવીને ત્યાં પાર્ક કરેલી  પાર્ક કરેલી લકઝરી તથા કાર અને ૧૫ રિક્ષા, બાઇક સહિત કુલ૨૪ વાહનોની તોડફોડ કરી હતી અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પેદા કર્યો હતો. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી આસપાસમાં લગાડેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *