અમદાવાદ, સોમવાર, 8 એપ્રિલ,2024

ઉનાળાના સમયમાં અમદાવાદમાં મહત્તમ ગરમીનો લોકો સામનો કરતા
હોય છે.ગરમીથી લોકોને રાહત આપવા પુષ્પકુંજ ટ્રાફિક જંકશન ઉપર સ્પ્રીન્કલરની મદદથી
સિગ્નલ બંધ હોય એ સમયે પાણીથી છંટકાવ કરવામાં આવી રહયો છે.પાઈલોટ પ્રોજેકટ સફળ થાય
તો શહેરના અન્ય ટ્રાફિક જંકશન ઉપર પણ મ્યુનિ.તંત્ર દ્વારા સ્પ્રીન્કલરથી પાણીનો
છંટકાવ કરવાની વ્યવસ્થા કરાશે.

અમદાવાદના મહત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક સમયથી વધારો થઈ
રહયો છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત વર્ષે શહેરના વિવિધ ટ્રાફિક જંકશન ઉપર
ગ્રીન નેટ લગાવવાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.પરંતુ ગ્રીન નેટ લગાવતી વખતે ટ્રાફિક
જંકશન ઉપર લગાવવામાં આવેલા સી.સી.ટી.વી.કેમેરાને એ નડતરરુપ થાય એમ હતી.મ્યુનિસિપલ
કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડોકટર તેજસ શાહે કહયુ
,અમદાવાદમાં
ત્રણસોથી વધુ ટ્રાફિક જંકશન આવેલા છે.આ પૈકી ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી ૧૨૦
જેટલા ટ્રાફિક જંકશન કે જયાં ઓછો ટ્રાફિક હોય છે એવા ટ્રાફિક જંકશન વધુ ગરમીના
દિવસોમાં બપોરે ૧૨થી ૪ કલાક સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.મણીનગર
વોર્ડમાં આવેલા પુષ્પકુંજ ટ્રાફિક જંકશન ખાતે બે દિવસથી સિગ્નલ બંધ હોય એવા સમયે
ટ્રાફિક જંકશન ઉપર ઉભા રહેલા વાહન ચાલકોને ગરમીથી રાહત મળે એ માટે એકથી લઈ પાંચ
સ્પ્રીન્કલરની મદદથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહયો છે.સિગ્નલ ખુલે એ સમયે
સ્પ્રીન્કલર આપોઆપ બંધ થઈ જાય છે.આગામી સમયમાં શહેરના અન્ય ટ્રાફિક જંકશન ઉપર પણ આ
પ્રકારે સ્પ્રીન્કલરની મદદથી લોકો ઉપર પાણી છંટકાવની વ્યવસ્થા કરાશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *