Mumbai Indians Team in Jamnagar : જામનગરના એરપોર્ટ પર આજે(મંગળવાર) ફરીથી મુંબઈ ઈન્ડિયન્સની ક્રિકેટ ટીમનું આગમન થયું છે. આઇપીએલમાં ચાર દિવસનો બ્રેક હોવાથી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ જામનગરની મહેમાન બની છે. અહીં ટીમના ખેલાડીઓ મોટીખાવડી સ્થિત રિલાયન્સના ગ્રીન્સ રિસોર્ટમાં પોતાના પરિવાર સાથે મિની વેકેશન માણશે.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમનું જામનગર એરપોર્ટ પર કરાયું સ્વાગત્

મુંબઈ ઈન્ડિયન્સની ટીમના વર્તમાન કેપ્ટન હાર્દિક પંડ્યા, પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, અર્જુન તેંડુલકર, તિલક વર્મા, ઇશાન કિશન, કવેના મફાકા સહિતના ક્રિકેટ ખેલાડીઓ આજે જામનગરના એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જેમાં કેટલાક ખેલાડીઓ પોતાના પરિવાર સાથે પણ આવી પહોંચ્યા હતા. તમામનું જામનગર એરપોર્ટ પર રિલાયન્સ કંપનીના અધિકારીઓ દ્વારા સ્વાગત્ કરાયું હતું.

ટીમને એરપોર્ટથી રિલાયન્સ ગ્રીન્સ ખાતે લઈ જવાઈ

ત્યારબાદ તમામને સ્પેશિયલ લક્ઝરી બસ મારફતે મોટી ખાવડી સ્થિત રિલાઇન્સ ગ્રીન્સમાં લઈ જવામાં આવ્યા હતા. ગત આઈપીએલ સીઝનમાં પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જામનગરની મુલાકાતે આવી હતી. તેઓ શનિવાર સુધીનું ચાર દિવસનું મિની વેકેશન માણશે. જણાવી દઈએ કે, મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીના માલિક નીતા અંબાણી છે. આગામી 7 એપ્રિલના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *