મત ગણતરી મથકની ચારેબાજુની 100 મીટરની ત્રિજયામાં વિવિધ પ્રતિબંધ
સેલ્યુલર/મોબાઈલ ફોન કે વાયરલેસ સેટ મતગણતરી કેન્દ્ર સુધી લઇ જનાર શિક્ષાને પાત્ર
પ્રતિબંધિત વિસ્તારમાં કે મતગણતરી કેન્દ્રની અંદર કોઈ પણ સ્ફેટક પદાર્થ કે ચીજવસ્તુ લઈ જઈ શકશે નહી

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત તા.7-5-2024ના રોજ યોજાયેલ મતદાનની મતગણતરી તા.4-6-2024ના રોજ સવારના 8 કલાકે સરકારી ઈજનેરી કોલેજ, દાહોદ ખાતે રાખવામાં આવી છે જે દરમ્યાન મતગણતરી કેન્દ્ર ખાતે સવારે 5 કલાકથી મતગણતરી સ્ટાફ્ તેમજ ચૂંટણી એજન્ટોએ ઉપસ્થિત રહેવાનું છે. મતગણતરી કેન્દ્રની સુરક્ષા અને મતગણતરીની કામગીરી શાંતિપૂર્ણ વાતાવરણમાં પુર્ણ થાય તેમજ મતગણતરીની કાર્યવાહી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.એમ.રાવલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

મતગણતરી સ્થળના કેમ્પસની હદથી આજુબાજુના વિસ્તારમાં 4-6-2024ના રોજ સવારના 5 વાગ્યાથી મતગણતરી પુરી થાય ત્યાં સુધીના સમયગાળા માટે ચુટણીના ઉમેદવાર કે તેના ચુંટણી એજન્ટ કે અન્ય કોઈપણ અનઅધિકૃત વ્યકિત મતગણતરી સ્થળના કેમ્પસની 100 મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઈ પ્રકારના તંબુ ઉભા કરી શકશે નહી તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યકિત મતગણતરી હોલમાં કે કંપાઉન્ડમાં કે મતગણતરી સ્થળના કેમ્પસની 100 મીટરની ત્રિજયાના પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહી કે, તેનો ઉપયોગ કરી શકશે નહી, સભા-સરઘસ કે ફ્ટાકડા ફેડવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

પ્રતિબંધિત વિસ્તારમાં કે મતગણતરી કેન્દ્રની અંદર કોઈ પણ સ્ફેટક પદાર્થ કે ચીજવસ્તુ લઈ જઈ શકશે નહી, મતગણતરી કેન્દ્રના 200 મીટર વિસ્તારમાં વાહન પાર્કિંગ કરી શકાશે નહી, મતગણતરીના કેન્દ્રની 200 મીટરની બહાર નકકી કરવા આવેલ સ્થળોએ જ વાહન પાર્કીંગ કરવાના રહેશે, મતગણતરી કેન્દ્ર ખાતે ચૂંટણી અધિકારીશ્રી ધ્વારા આપવામાં આવેલ ઓળખકાર્ડ ધરાવતા ઉમેદવાર/ચૂંટણી એજન્ટ/મતગણતરી એજન્ટ/અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને જ પ્રવેશ આપવામાં આવશે.

 નીચે જણાવેલ વ્યક્તિઓને મુકિત આપવામાં આવે છે.

ચુંટણી તેમજ ચુંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોંપવામાં આવેલ છે, ફરજ પરના પોલીસ/એસઆરપી/હોમગાર્ડ/પેરામીલટ્રી ફેર્સના અધિકારી તથા જવાનો, મોબાઈલ ફોનના ઉપયોગ અંગે આમુખ-2થી મુક્તિ આપેલ અધિકારીઓ.

આ જાહેરનામુ મતગણતરી કેન્દ્ર સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના કેમ્પસની હદથી આજુબાજુના વિસ્તારને લાગુ પડશે તેમજ તા.4-6-24ના રોજ સવારના 5 કલાકથી તા.4-6-24ના રોજ મતગતરી પુર્ણ ન થાય ત્યાં સુધી અમલી ગણાશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ સજાને પાત્ર થશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *