કુટુંબ કલેશના કારણે પરિવારનો માળો વિંખાયો, ત્રણ સંતાનો
નોંધારા બન્યાં

યુવાને મારકૂટ કરતાં પત્નીને અગાઉ થયેલાં હેમરેજના ભાગે લાગી જતા મૂર્છિત બની ગયા બાદ સવારે ન ઉઠતા યુવાને પણ જીવ દીધો

ખંભાળિયા :  કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા  યુવાનને પોતાની પત્ની સાથે ઘણા સમયથી ઘરકંકાસ
ચાલતો હતો. દરમિયાન ગત રાત્રિના યુવાને તેની પત્નીને માર માર્યો હતો. આજે સવારે
પત્ની ન ઉઠતા યુવાનને અજુગતું બની ગયું હોવાની ખબર પડતા પોતાના ત્રણેય સંતાનોને
બહાર મોકલી દઇ બાદમાં પોતે પોતાના ઘરના રસોડામાં પંખામાં કપડાં વડે ગળાફાંસો ખાઈને
આપઘાત કરી લીધો હતો.કુટુંબ કલેશના કારણે પરિવારનો માળો વિંખાઇ જતા ત્રણ સંતાનો
નોંધારા બની જતા અરેરાટી વ્યાપી છે.

આ કરુણ બનાવની જાણવા માટે વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના
ભોગાત ગામે રહેતા અને સોની કામનો વ્યવસાય કરતા શૈલેષભાઈ નાથાલાલ ઘઘડા નામના ૪૦
વર્ષના યુવાન તેમજ તેમના ૩૮ વર્ષના પત્ની જશુબેન ઘઘડાની વચ્ચે ઘણા સમયથી કૌટુંબિક
કલેશ ચાલ્યો આવતો હતો. આશરે ૧૬ વર્ષના દામ્પત્ય જીવનમાં ૧૫ વર્ષની મોટી પુત્રી
તેમજ ત્યાર બાદ તેણીથી બે નાના પુત્રો વચ્ચે સહિત ત્રણ સંતાનો સાથે આ દંપતી ગઈકાલે
રાત્રિના સમયે પોતાના ઘરે સુતા હતા. ત્યાર બાદ આજ વહેલી સવારે આશરે ચારેક વાગ્યાના
સુમારે શૈલેષભાઈને તેના પત્ની જશુબેન સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી.

આ બોલાચાલી બાદ ગુસ્સામાં આવીને શૈલેષભાઈ તેમના પત્નીને મૂઢ
માર્યો હતો. જશુબેન સાથે અગાઉ સર્જાયેલા એક અકસ્માતમાં તેમને હેમરેજ જેવી ઈજાઓ થવા
પામી હતી. જેની સારવાર કરવામાં આવી હતી. આ વચ્ચે શૈલેષભાઈએ તેમને આ ભાગે મૂઢ માર
મારતા અગાઉના ઈજા સ્થળે જશુબેનને લાગી ગયું હતું. જેના કારણે તેણી સ્થળ પર જ
પટકાઈને મૂછત બન્યા હતા.

આ પછી આજે સવારે આશરે ૯.૩૦ વાગ્યે શૈલેષએ તેમના પત્ની
જશુબેનને ઉઠાડતા તેણી ઉઠયા ન હતા.તેથી પત્નીે સાથે અજુગતું બની ગયું હોવાનો તેમને
અણસાર આવી ગયો હતો. આથી તેમણે પોતાના સંતાનોને કહ્યું હતું કે તમારા મમ્મી ઉઠતા
નથી. માતાજીના મંદિરે જઈ અને દીવો કરી આવો.તેમ 
કહેતા સંતાનો માતાજીના મંદિરે દીવો કરવા માટે બહાર ગયા હતા. આ સંતાનોએ પરત
આવીને જોતા શૈલેષભાઈએ પોતાના ઘરના રસોડામાં પંખામાં કપડાં વડે ગળાફાંસો ખાઈને
આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ કરાતા કલ્યાણપુરના પી.એસ.આઈ. યુબી. અખેડ તથા
તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. શૈલેષભાઈતથા જશુબેનના મૃતદેહને કલ્યાણપુર
સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી કરવામાં આવી હતી.
પોલીસે મૃતક શૈલેષભાઈ સામે પોતાના પત્નીની હત્યા નિપજાવવાના મુદ્દે ગુનો નોંધવા
સહિતની કાર્યવાહી કરી હતી. નાના એવા ભોગાત ગામમાં સોની દંપતીના આ રીતે નીપજેલ
મૃત્યુના બનાવે ભારે ચર્ચા જગાવી છે. સાથે સાથે ત્રણ સંતાનો પણ નોંધારા બની જતા આ
બાબતે સોની સમાજમાં પણ શોક સાથેભારે અરેરાટી પ્રસરી જવા પામી છે.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *