– આઈવી સાથેની તસવીર શેર કરી 

– અર્જુન કપૂર ઓસ્ટ્રિયા ગયો હતો ત્યારે તેણે આ વિટામીન થેરાપી લીધી હતી

મુંબઇ : અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વચ્ચે બ્રેક અપ થઈ  ચૂક્યાનું તેમના નજીકના વર્તુળોએ કન્ફર્મ કર્યું છે તે જ સમયે અર્જુન કપૂરની હોસ્પિટલના રુમમાં આઈવી લગાડેલી તસવીર વાયરલ થતાં અનેક અટકળો સર્જાઈ હતી. બાદમાં એવું જાણવા મળ્યું હતું કે અર્જુન કપૂરે તાજેતરમાં એક ખાસ વિટામીન થેરાપી લીધી છે. 

અર્જુન કપૂર  તાજેતરમાં ઓસ્ટ્રિયામાં એક મેડિકલ રિસોર્ટમાં ગયો હતો. ત્યાં તેણે  એેક વિટામિન થેરેપી લીધી હતી.  આ  થેરાપીમાં  વિટામિન અને ખનિજોને રક્તપ્રવાહમાં જ સીધા સામેલ કરી દેવામાં આવે છે. 

અર્જુન અને મલાઈકાનું બ્રેક અપ થઈ ચૂક્યાનું કન્ફર્મ થયું છે તે જ અરસામાં અર્જુનની આ તસવીરથી અનેક અટકળો ફેલાઈ છે. કેટલાક ચાહકોએ એવી કોમેન્ટસ પણ કરી હતી કે અર્જુન કપૂરને બ્રેક અપનો એટલો આઘાત લાગ્યો છે કે તેણે આ ખાસ થેરાપી લેવી પડી છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *