– પાંડેસરામાં
મોબાઇલમાં વિડીયો જાયો બાદ યુવાન
,
સિંગણપોરમાં રત્નકલાકાર અને સચીનમાં યુવાને આત્મહત્યા કરી

   સુરત :

સુરતમાં
આપધાતના પાંચ બનાવમાં માનસિક બિમારીમાં વરાછામાં યુવાન અને ભટારમાં મહિલા
,પાંડેસરામાં મોબાઇલમાં વિડીયો
જાયો બાદ યુવાન
, સિંગણપોરમાં રત્નકલાકાર અને સચીનમાં યુવાનને
આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતું.

સિવિલ અને
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વરાછામાં મુખીભવન એપાર્ટમેન્ટમાં રહેતો ૪૨ વર્ષીય
બાબુ ધીરૃભાઇ ગેલાણી ગત રાતે ઘરમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
હતુ. પોલીસે કહ્યુ કે
, બાબુને છેલ્લા ધણા સમયથી માનસિક બિમારી પીડાતા હોવાથી આ પગલુ ભર્યુ હોવાની
સકયતા છે. તે છુટક કામ કરતા હતા. બીજા બનાવમાં ભટારમાં ઉમાભવન પાસે ઉદયદિપ એપાર્ટમેન્ટમાં
રહેતા ૩૯ વર્ષીય શિલ્પાબેન લક્ષ્મીનિવાસ મુંદડા ગત સાંજે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી
ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસે જણાવ્યુ કે
, શિલ્પાબેન
૧૦થી૧૨ વર્ષથી માનસિક બિમારી પીડાતા હોવાથી આ પગલુ ભર્યુ હતુ. તેમને સંતાનમાં બે પુત્રી
છે. તેમના પતિ સચીન ખાતે સંચાખાતુ ધરાવે છે.

ત્રીજા
બનાવમાં પાંડેસરામાં જય અંબેનગરમાં રહેતો ૧૮ વર્ષીય સંદિપ જુગીલાલ નિસાદ આજે સવારે
ઘરમાં મોબાઇલમાં વિડીયો જોતો હતા. બાદમાં તેણે કોઇ કારણસર ઘરમાં હુક સાથે દુપટ્ટો
બાંધી ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો. તે મુળ ઉતરપ્રદેશમાં કાનપુરનો વતની હતો.
તેના બે ભાઇ છે. તેના અને તેના પિતા સંચાખાતામાં કામ કરે છે.ચોથા બનાવમાં
સિંગણપોરમાં સુકન સ્કાય એપાર્ટમેન્ટમાં રહેતા ૩૫ વર્ષીય ગૌતમ કાળુ સિહોર ગત સાંજે
ઘરમાં કોઇ કારણસર ટેન્શનમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી
હતી. તે મુળ ભાવનગરનો વતની હતો. તેને સંતાનમાં બે પુત્ર છે. તે રત્નકલાકારનું કામ
કરતો હતો. પાંચમાં બનાવમાં સચીનમાં બરફ ફેકટરી નજીક લક્ષ્મીનગરમાં રહેતો ૨૨ વર્ષીય
રામુ રામગોપાલ મૌર્યા ગત સાંજે ઘરમાં અગમ્ય કારણસર પંખાના હુક સાથે સાલ બાંધી ગળે
ફાંસો ખાઇ આપધાત કર્યો હતો. તે મુળ ઉતરપ્રદેશનો વતની હતો. તે છુટક મજુરી કરતો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *