– ફિલ્મના કલાકારો વારાણસી પહોંચ્યા 

– ભૂલચૂક માફ નામની આ ફિલ્મનું દિગ્દર્શન કરણ શર્મા કરી રહ્યા છેે

મુંબઈ: રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની ફિલ્મ ‘ભૂલચૂક માફ’નું  શૂટિંગ વારાણસીમાં યોજવામાં આવ્યું છે. આ માટે ફિલ્મના મુખ્ય કલાકારો સહિતનો કાફલો વારાણસી પહોંચ્યો હોવાનું જાણવા મળે છે. 

ઓટીટી પર રજૂ થયેલી સીરિઝ ‘મહારાણી’ના  ડાયરેક્ટર કરણ શર્મા જ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. 

ફિલ્મમાં રાજ કુમાર રાવ અને વામિકા ગબ્બી પહેલીવાર સ્ક્રીન શેર કરવાના છે. રાજકુમાર રાવની  જાહ્નવી કપૂર સાથેની ફિલ્મ ‘મિ. એન્ડ મિસિસ માહી’ તાજેતરમાં જ રજૂ થઈ છે. આ ફિલ્મ રજૂ થવાના દિવસે જ દેશભરના થિયેટર્સમાં ૯૯ રુપિયાની સ્કિમ ઓફર કરવામાં આવી હતી. તેના કારણે આ ફિલ્મને પહેલા જ દિવસથી બોક્સ ઓફિસ પર  સારો સ્ટાર્ટ મળી ગયો છે. 

બીજી તરફ વામિકા ગબ્બી ‘ગ્રહણ’ અને ‘જ્યુબિલી’ સહિતની સંખ્યાબંધ ઓટીટી સીરિઝ દ્વારા લોકપ્રિયતા મેળવી ચૂકી છે.

બંને નિવડેલા કલાકારોની ‘ભૂલચૂક માફ’ની સ્ટોરી વિશે ખાસ વિગતો મળી નથી પરંતુ આ એક રોમાન્ટિક કોમેડી હોવાનું મનાઈ  રહ્યું છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *