27માંથી 26 મૃતદેહ તેના પરિજનોને સોંપવામાં આવ્યા
અગ્નિકાંડમાં પાંચ દિવસ બાદ મૃતદેહની ઓળખ થઈ
હજુ એક મૃતદેહ પરિજનોને સોંપવાનો બાકી
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં 27 મૃતદેહોની ઓળખ પૂર્ણ થઈ છે. જેમાં 27માંથી 26 મૃતદેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યા છે. અગ્નિકાંડમાં પાંચ દિવસ બાદ મૃતદેહની ઓળખ થઈ છે. હજુ એક મૃતદેહ પરિજનોને સોંપવાનો બાકી છે. આજે અંતિમ મૃતદેહની ઓળખ પૂર્ણ થયે તેને સોંપવામાં આવી શકે છે.
27 મૃતકોની DNA મેચિંગના આધારે ઓળખ કરાઈ
TRP ગેમઝોન આગ દુર્ઘટનાના 27 મૃતકોની DNA મેચિંગના આધારે ઓળખ કરાઈ જેમાં FSLમાંથી રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા મૃતકોના સગાઓનો સંપર્ક કરીને મૃતદેહ સોંપાયા છે. જે પૈકી 1 મૃતકના પરિવારને હજૂ મૃતદેહ સોંપણી કરવાની બાકી છે. પ્રાપ્ત થયેલ મહિતીઓમાં જે નામ જાહેર કરવામાં આવ્યા તે યાદી આ મુજબ છે.
1. જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉ.34),
2. સ્મિત મનીષભાઈ વાળા (ઉ.22),
3. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉ.21),
4. સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા (ઉ.30),
5. આશાબેન ચંદુભાઈ કાથડ (ઉ.19),
6. હિમાંશુ દયાળજીભાઈ પરમાર (ઉ.20),
7. ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.36),
8. વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉ.24),
9. સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.22),
10. નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.19),
11. જયંત અનિલભાઈ ઘોરેચા (ઉ.45),
12. ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.12),
13. વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.40),
14. દેવાંશી (દેવશ્રી) હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.12),
15. રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (ઉ.15),
16. નિરવ રસીકભાઈ વેકરીયા (ઉ.20-25),
17. શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (ઉ.25),
18. વિવેક અશોકભાઈ દુસારા (ઉ.28),
19. ટીશા અશોકભાઈ મોડાસિયા (ઉ.24),
20. કલ્પેશ પ્રવીણભાઈ બગડા (ઉ.22),
21. ખ્યાતિ રતિભાઈ સાવલિયા (ઉ.28),
22. ખુશાલી વિવેકભાઈ દુસારા (ઉ.24),
23. હરિતા રતિભાઈ સાવલિયા (ઉ.25),
24. મિતેશ બાબુભાઈ જાદવ (ઉ.30),
25. પ્રકાશચંદ કનૈયાલાલ હિરણ (ઉ.45),
26. મોનુ કેશવ ગૌંડ (ઉ.21)