અમદાવાદ,ગુરુવાર,23 મે,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક શહેરના વિવિધ વોર્ડમાં
આવેલા તળાવ પાણીથી ભરેલા રાખવા જે તળાવની નજીક ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ
બનાવાશે.નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના નોમર્સ મુજબ
, પાંચ મિલીયન લિટર પર ડે ક્ષમતા ધરાવતા ટર્સરી ટ્રીટમેન્ટ
પ્લાન્ટમાં પાણી ટ્રીટ કરી તળાવમાં છોડવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક શહેરના હાલ ૧૧૦ તળાવ
આવેલા છે. આ તળાવમાં વરસાદી પાણી ભરવાની સાથે જે તે વિસ્તારમાં આવેલા તળાવ બારેમાસ
પાણીથી ભરેલા રહે એ માટે તળાવની નજીક આવેલી સુએજ ટ્રીટ્રમેન્ટ લાઈનમાંથી ટર્સરી
ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પાણી પહોંચાડવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેને કહયુ
, નેશનલ ગ્રીન
ટ્રીબ્યુનલના નોમર્સ મુજબ પાંચ એમ.એલ.ડી.ક્ષમતાના ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની
મદદથી પાણી ટ્રીટમેન્ટ કરી તળાવમાં પાણી છોડી વિવિધ તળાવને વર્ષ દરમિયાન પાણીથી
ભરેલા રાખવામાં આવશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *