સિકંદરાબાદ ડિવિઝનમાં નોન ઇન્ટરલોકિંગ કામને લીધે

ટ્રેન વિજયવાડાવિશાખાપટનમ સહિતના સ્ટેશનોને બદલે વાયા નાગપુરરાયપુરવિજયનગરમના માર્ગે દોડશે

રાજકોટ :  દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ ડિવિઝન પર કાઝીપેટ-વિજયવાડા
સેક્શનમાં નોન ઇન્ટરલોકિંગ કામ ને કારણે ઓખા-પુરી-ઓખા એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ
કરાયેલા રુટ પર દોડશે.

તા.૧,
૮  અને ૧૫ મે ના રોજ ઓખા થી ચાલતી
ટ્રેન નં ૨૦૮૨૦ ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વર્ધા – બલ્હારશાહ
– વિજયવાડા – વિશાખાપટ્ટનમ – ખુર્દા રોડ ના સ્થાને તેના ડાયર્વટ કરાયેલ માર્ગ વાયા
વર્ધા – નાગપુર – રાયપુર – ટિટિલાગઢ – રાયગઢ – વિજયનગરમ – ખુર્દા રોડ ના માર્ગ પર
દોડશે.  આ ટ્રેન ચંદ્રપુર -બલ્હારશાહ –
સિરપુર કાગઝનગર – મંચિર્યાલ – રામગુંડમ – વારંગલ – વિજયવાડા – એલુરુ – રાજામુડ્રી
– સામલકોટ – અનકાપલ્લી -વિશાખાપટ્ટનમ સ્ટેશનો પર જશે નહીં.

તા.૨૮ એપ્રીલ ,
૫  અને ૧૯ મે ના રોજ પુરી થી ચાલતી
ટ્રેન નં ૨૦૮૧૯ પુરી – ઓખા એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ ખુર્દા રોડ –
વિશાખાપટ્ટનમ – વિજયવાડા – બલ્હારશાહ – વર્ધા ના સ્થાને તેના ડાયર્વટ કરાયેલ માર્ગ
વાયા ખુર્દા રોડ – વિજયનગરમ – રાયગઢ – ટિટિલાગઢ – રાયપુર – નાગપુર – વર્ધા ના
માર્ગ પર દોડશે. આ ટ્રેન વિશાખાપટ્ટનમ – અનકાપલ્લી – સામલકોટ – રાજમંડ્રી – એલુરુ
– વિજયવાડા – વારંગલ – રામગુંડમ – મંચિર્યાલ – સિરપુરકાગઝનગર – બલ્હારશાહ –
ચંદ્રપુર સ્ટેશનો પર નહીં જાય.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *