Ravichandran Ashwin on Rohit & Jadeja : છેલ્લા ઘણાં સમયથી ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. T20 વર્લ્ડકપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ રોહિત એકપણ મોટી ઇનિંગ રમ્યો નથી. આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રોહિતના ફોર્મને લઈન ટીમ મેનેજમેન્ટ ચિંતિત છે. આ દરમિયાન રોહિતના ફોર્મને લઈને પૂર્વ દિગ્ગજ ખેલાડી રવિચંદ્રન અશ્વિને મોટું નિવેદન આપ્યું છે. તેણે રોહિતના પ્રદર્શનને લઈને ચિંતા વ્યક્ત કરી છે.